વસમીવિદાય
નવાગામ પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રી
બાબુભાઈ એચ. પટેલ જેમણે આચાર્ય માટે ની HTAT ની પરીક્ષા પાસ કરી હોઈ તેઓશ્રી ની પંચમહાલ જીલ્લાની આચાર્ય માટે
ની ભરતી માં જનરલ કેટેગરી માં પ્રથમ નંબરે
પસંદગી થઇ હતી. તેમણે લુણાવાડા તાલુકાની વિખ્યાત શાળા ડૉ પોલન શાળા ની પસંદકરી હોય
આજ રોજ તા. ૩૦-૦૮-૨૦૧૨ ના નવાગામ શાળા માંથી વિદાય લીધી .
આ કાર્યક્રમ માં શાળા ના SMC ના અધ્યક્ષ શ્રી રામભાઈ , રાણપુર
સી.આર.સી. ના CRC Co. શ્રી હરેન્દ્રસિંહ જાદવ , નવાગામ શાળા ના આચાર્ય શ્રી
રમણભાઈ, તથા શાળા નો સ્ટાફ, બાળકો ઉપસ્થિત હતા.
શાળા તરફથી બાબુભાઈ ને શાલ ઓઢાડીને સન્માન કર્યું તથા તેમને શ્રીફળ અને ભેટ આપી અશ્રુભરી વિદાય આપી .